Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dharmendra Death: - ધર્મેન્દ્રનુ 89 વર્ષે નિધન, મુંબઈ વિલે પાર્લે સ્મશાન ઘાટ પર પહોચ્યો પરિવાર

Dharmendra
, સોમવાર, 24 નવેમ્બર 2025 (13:31 IST)
Dharmendra Death: ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું. આ મહિનાની શરૂઆતમાં, દિગ્ગજ અભિનેતાની તબિયત નાજુક બનતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બે દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી, બોલિવૂડના "હી-મેન" ને ઘરે પાછા લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી.
 
ધર્મેન્દ્રનો પરિવાર સ્મશાનગૃહ પહોંચ્યો
ધર્મેન્દ્રના ઘરેથી એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો વિલે પાર્લે સ્મશાનગૃહ પહોંચ્યા છે. સફેદ પોશાક પહેરેલા એશા દેઓલ અને હેમા માલિની પણ તેમની કારમાં પહોંચ્યા હતા. તેમની કાર ઉપરાંત, સ્મશાનગૃહમાં અન્ય ઘણા નજીકના સંબંધીઓના વાહનો પણ જોવા મળ્યા હતા. સની દેઓલ અને બોબી દેઓલ પણ પહોંચ્યા છે. જોકે, પરિવારે હજુ સુધી ધર્મેન્દ્રના મૃત્યુની પુષ્ટિ કરી નથી.

 
આ પહેલા ધર્મેન્દ્રને 12 નવેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 13 નવેમ્બરના રોજ, પોતાના ઘરેથી નીકળતી વખતે, સની દેઓલે મીડિયા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી. હાથ જોડીને, સનીએ ફોટોગ્રાફરો અને પાપારાઝીને પૂછ્યું, "તમારા ઘરે પણ માતા-પિતા અને બાળકો છે. તમને શરમ નથી આવતી?" આ દરમિયાન સની દેઓલે કેટલીક અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો.

કરણ જોહરે ટ્વીટ કરીને કહ્યું કે એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક મહિનાથી વધુ સમયથી બીમાર હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેમને રજા આપવામાં આવી હતી.
webdunia


 
 
આ પહેલા મીડિયાએ તેમના  મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી, જેનાથી સની દેઓલ ગુસ્સે થયા હતા. તેમના પરિવારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેમના નિધનના સમાચારથી બધા દુઃખી થયા છે. તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં થયા હતા.
 
ધર્મેન્દ્રએ 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 100 થી વધુ હિટ ફિલ્મો આપી
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરવાના હતા, પલાશ મુછલ હવે હોસ્પિટલમાં દાખલ કેમ