Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આર્યન ખાનની જામીન પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનવણી એનસીબી કરશે વિરોધ

આર્યન ખાનની જામીન પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનવણી એનસીબી કરશે વિરોધ
, મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (10:11 IST)
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આજે 26 ઓક્ટોબર બૉમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન પર સુનવણે થવી છે. તેમની જામીન ફગાવીને સ્પેશન એનડીપીએસ કોર્ટ અને સેશન કોર્ટ બન્નેએ ફગાવી દીધી હતી. એનડીપીએસ કોર્ટએ 20 ઓક્ટોબરને તેમની જામીન ફગાવી દીધી હતી. 
 
જે બાદ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેના નેતૃત્વમાં તેમની ટીમ હાઈકોર્ટ પહોંચી હતી. કોર્ટે મંગળવારે સુનાવણીની તારીખ આપી હતી.
 
NCB વિરોધ કરશે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન ખાન અને અન્ય તમામ આરોપીઓના જામીનનો હાઈકોર્ટમાં વિરોધ કરશે. માહિતી અનુસાર, બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી 57માં નંબર પર છે જ્યારે અરબાઝ મર્ચન્ટની જામીન અરજી 64માં નંબર પર છે.
 
NCB પર જ સવાલો ઉભા થયા છે
બીજી તરફ હવે આ મામલે NCB પર જ સવાલો ઉઠવા લાગ્યા છે. NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. આર્યન ખાનને છોડવા માટે વાનખેડે પર છેડતીનો આરોપ છે. એવી અફવા હતી કે તેને NCB દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો છે પરંતુ મીડિયા સાથે વાત કરતા તેણે તેનો ઇનકાર કર્યો હતો. વાનખેડેએ જણાવ્યું કે તેઓ કોઈ કામ માટે દિલ્હી પહોંચ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બંટી ઓર બબલી 2 નું ટ્રેલર લોન્ચ