Publish Date: Tue, 12 Jun 2018 (00:01 IST)Updated Date: Sat, 23 Nov 2019 (13:10 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 12 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.અંક જ્યોતિષ મુજબ તમારો મૂલાંક 3 આવે છે. આ બૃહસ્પતિનો પ્રતિનિધિ અંક છે. આવા વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળા હોય છે. અનુશાસનપ્રિય હોવાને કારણે ક્યારેક તમે તાનાશાહ પણ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવના હોવા છતા એક વિશેષ પ્રક્રારની સ્ફૂર્તિ રાખે છે. તમારી શિક્ષાના ક્ષેત્રમાં પકડ મજબૂત રહેશે. તમે એક સામાજીક પ્રાણી છો. તમે સદા પરિપૂર્ણતા કે કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે મોટાભાગે અવ્યવસ્થાઓને કારણે તણાવમાં રહો છો.
ઈષ્ટદેવ - દેવી સરસ્વતી, દેવગુરૂ બૃહસ્પતિ, ભગવાન વિષ્ણુ
શુભ રંગ - પીળો-સોનેરી અને ગુલાબી
કેવુ રહેશે વર્ષ - મુલાંક 3નો સ્વામી ગુરૂ છે અને વર્ષાંક 5નો સ્વામી બુધ છે. ગુરૂ-બુધ પરસ્પર સમ છે. આ વર્ષ તમારે માટે ખૂબ જ સુખદ છે. કોઈ વિશેષ પરિક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત લોકો માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનુ છે. નવીન વેપારની યોજના પણ બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે ઘર કે પરિવારમાં શુભ કાર્ય રહેશે. મિત્ર વર્ગની મદદ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહિન હશે. મહત્વપુર્ણ કાર્યથી યાત્રાના યોગ પણ છે. ALSO READ: જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (11.06.2018)