Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યમનના હુતીમાં વિદ્રોહીઓનો દાવોઃ હજારો સાઉદી સૈનિક પકડાયા

યમનના હુતીમાં વિદ્રોહીઓનો દાવોઃ હજારો સાઉદી સૈનિક પકડાયા
, રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (10:28 IST)
યમનના હુતીના વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેઓએ મોટી સંખ્યામાં સાઉદી અરબના સૈનિકોને પકડી લીધા છે.
હુતી વિદ્રોહીઓના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે સાઉદી અરબના નાઝરાન શહેર પાસે સાઉદી અરબની ત્રણ બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે.
પ્રવક્તાએ જણાવ્યું કે પકડાયેલા સૈનિકોની સંખ્યા હજારોમાં છે.
તેમણે દાવો કર્યો છે કે હુતી વિદ્રોહીઓના ત્રણ દિવસના અભિયાનમાં સાઉદી અરબ ગઠબંધન સેનાના ઘણા અન્ય સૈનિકો માર્યા ગયા છે.
જોકે સાઉદીના અધિકારીઓએ હુતી વિદ્રોહીઓના દાવાની પુષ્ટિ કરી નથી.
હુતી વિદ્રોહીઓના પ્રવક્તા કર્નલ યાહિયા સારિયાએ જણાવ્યું કે જ્યારથી યમનમાં સંઘર્ષની શરૂઆત થઈ છે, ત્યારનું આ એક મોટું અભિયાન હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉન્નાવ બળાત્કાર કેસમાં પીડિતાને દિલ્હીમાં મકાન આપવા કોઈ તૈયાર નહીં'