Publish Date: Sun, 29 Sep 2019 (10:28 IST)
Updated Date: Sun, 29 Sep 2019 (10:33 IST)
યમનના હુતીના વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેઓએ મોટી સંખ્યામાં સાઉદી અરબના સૈનિકોને પકડી લીધા છે.
હુતી વિદ્રોહીઓના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે સાઉદી અરબના નાઝરાન શહેર પાસે સાઉદી અરબની ત્રણ બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે.
પ્રવક્તાએ જણાવ્યું કે પકડાયેલા સૈનિકોની સંખ્યા હજારોમાં છે.
તેમણે દાવો કર્યો છે કે હુતી વિદ્રોહીઓના ત્રણ દિવસના અભિયાનમાં સાઉદી અરબ ગઠબંધન સેનાના ઘણા અન્ય સૈનિકો માર્યા ગયા છે.
જોકે સાઉદીના અધિકારીઓએ હુતી વિદ્રોહીઓના દાવાની પુષ્ટિ કરી નથી.
હુતી વિદ્રોહીઓના પ્રવક્તા કર્નલ યાહિયા સારિયાએ જણાવ્યું કે જ્યારથી યમનમાં સંઘર્ષની શરૂઆત થઈ છે, ત્યારનું આ એક મોટું અભિયાન હતું.