Publish Date: Fri, 27 Sep 2019 (11:31 IST)
Updated Date: Fri, 27 Sep 2019 (11:33 IST)
ગુજરાતમાં આજથી ચાર દિવસ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આજે આણંદ, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એવી જ રીતે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે આગામી 29 તારીખથી નવરાત્રિ શરૂ થવાની છે. એવામાં વરસાદ નવરાત્રિ સમયે ખૈલેયાઓને નિરાશ કરી શકે છે.