Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ

ગુજરાતમાં સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ
, સોમવાર, 18 નવેમ્બર 2019 (10:51 IST)
રવિવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્વામી નિત્યાનંદ અને તેમના બે સમર્થકો સામે ફરિયાદ નોંધી છે.
અમદાવાદ ગ્રામ્ય એસપી આર. વી. અસારીએ કહ્યું કે બેંગલુરુનિવાસીની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આશ્રમમાંથી લાપતા યુવતીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હેપિયસ કૉર્પસ પિટિશન દાખલ કરાઈ છે જેની આજે સુનાવણી છે.
પોલીસે કહ્યા મુજબ સ્વામી નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા સામે બાળકોને કથિત રીતે ગોંધી રાખવાના, મારવાના અને આશ્રમ દ્વારા મૌખિક રીતે ધમકાવવાના આરોપોને પણ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે.
હીરાપુરા આશ્રમ સામે અપહરણ અને ભારતીય દંડસંહિતા હેઠળ અન્ય આરોપ પણ લગાવાયા છે.
હીરાપુરામાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમ આવેલો છે, જે સ્વામી નિત્યાનંદનો છે.
આ દરમિયાન રાજપૂત કરણીસેના અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
રવિવારે કરણીસેનાના સભ્યો પત્રકારો સાથે આશ્રમમાં પ્રવેશ્યા હતા અને લાપતાં છોકરી શોધવાની કોશિશ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં એક હજાર કરોડના ખર્ચે બનશે ભવ્ય મંદિર, 100 મીટર હશે ઉંચાઇ