Publish Date: Mon, 15 Apr 2019 (10:48 IST)
Updated Date: Mon, 15 Apr 2019 (10:51 IST)
ભાવનગર જિલ્લા અને અમરેલી લોકસભા બેઠકના મતવિસ્તારમાં આવતા રાજુલામાં રાહુલ ગાંધી એક ચૂંટણીસભાને સંબોધશે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ અખબારી માધ્યમોને જણાવ્યા અનુસાર અમરેલી, જૂનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકના લોકોને રાહુલના સંબોધનમાં આવરી લેવાશે.
કૉંગ્રેસના જણાવ્યા અનુસાર આ અઠવાડિયા દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં અન્ય સભાઓ પણ સંબોધી શકે છે.