Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટનાં સાસુ-વહુએ સિલાઈકામથી ભેગા કરેલા પૈસા કોરોના દર્દીઓ માટે દાન કર્યા

રાજકોટનાં સાસુ-વહુએ સિલાઈકામથી ભેગા કરેલા પૈસા કોરોના દર્દીઓ માટે દાન કર્યા
, ગુરુવાર, 13 મે 2021 (19:11 IST)
કોરોના મહામારીમાં અનેક દર્દીઓ સારવાર અને સુવિધા માટે હેરાન થઈ રહ્યા છે, એવા સમયે રાજકોટની નારીશક્તિ દર્દીઓની વહારે આવી છે.
 
રાજકોટમાં રહેતાં નિર્મલાબહેન દાવડા અને તેમનાં વહુ ખુશબુબહેન દાવડા કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે મદદે આવ્યાં છે.
 
તેઓ સિલાઈકામ કરે છે અને તેમાંથી જે પૈસા મળ્યા છે તે કોરોનાના દર્દીઓની સારવાર માટે દાનમાં આપી દીધા છે.
 
એટલું જ નહીં તેઓ દર્દીઓ માટે ઓક્સિજનથી માંડીને જરૂર ચીજવસ્તુઓ પણ પૂરી પાડી રહ્યાં છે.
 
તેઓ માને છે કે આ મહામારીએ આપણે બધાની બને એટલી સેવા કરવી જોઈએ અને એક માણસ તરીકે બધાની મદદ કરવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Salute Corona Warriors - સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં ઝેબાબહેને પોતાની ફરજને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું નવતર ઉદાહરણ સ્થાપ્યું