Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vat Savitri Vrat 2023: અખંડ સૌભાગ્ય આપતો વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવામાં આવશે?

Vat Savitri Vrat 2023 Date:
, સોમવાર, 15 મે 2023 (13:42 IST)
Vat Savitri Vrat 2023 Date:  વટ સાવિત્રી વ્રત ગુજરાત અને મહારાષ્ટ્રમાં જેઠ મહિનાની પૂર્ણિમાને વટ સાવિત્રીના રૂપમાં ઉજવાય છે.  આ મહિનાની  વટ પૂર્ણિમાનુ વ્રત 3 જૂનના દિવસે રખાશે. 
 
Vat Savitri Vrat 2023 Date: - હિન્દુ પંચાગ મુજબ વટ સાવિત્રી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવે છે. શનિ જયંતિ પણ આ દિવસે આવે છે. વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ આ વખતે વટ સાવિત્રી વ્રત કઈ તારીખે છે.
 
 હિન્દુ કેલેન્ડર મુજબ, વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ મહિનાની અમાવસ્યા તિથિ 18 મેના રોજ રાત્રે 09.42 કલાકે શરૂ થશે અને 19મી મેના રોજ રાત્રે 09.22 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર વટ સાવિત્રી વ્રત 19મી મેના રોજ જ મનાવવામાં આવશે. 
 
વટ સાવિત્રી વ્રતના દિવસે શોભન યોગ રચાઈ રહ્યો છે. આ વ્રત પૂજા અને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શોભન યોગ 18 મેની સાંજે 07:37 થી 19 મેની સાંજે 06:16 સુધી રહેશે.
Edited By-Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vat Savitri Vrat 2023- વટ સાવિત્રી વ્રતમાં શા માટે થાય છે વડના ઝાડની પૂજા, જાણો મહત્વ