Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tulsi નો છોડ કરી દે છે મુસીબતની ભવિષ્યવાણી

Tulsi નો છોડ કરી દે છે મુસીબતની ભવિષ્યવાણી
, શુક્રવાર, 5 મે 2017 (15:31 IST)
તમારા ઘર પરિવાર કે તમારા પર કોઈ મુસીબત આવવાની હોય છે તો તેની અસર સૌ પહેલા તમારા ઘરમાં મુકેલ તુલસીના છોડ પર થાય છે. તુલસીનો છોડ એવો છે જે તમને પહેલાથી જ બતાવી દેશે કે તમારા ઘર પરિવારને કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે. 
 
પુરાણોમાં તુલસીના છોડનું મહત્વ 
 
પુરાણો અને શાસ્ત્રો મુજબ માનવામાં આવે તો આવુ એ માટે થાય છે કે જે ઘર પર મુસીબત આવવાની હોય છે એ ઘરમાં સૌ પહેલા લક્ષ્મી મતલબ તુલસી જતી રહે છે(સુકાય જાય છે).  દરિદ્રતા, અશાંતિ અને ક્લેશ વચ્ચે લક્ષ્મીજી નો નિવાસ નથી થતો. જ્યોતિષમાં તેનુ કારણ બુધ માનવામાં આવે છે. 
 
બુધનો પ્રભાવ લીલા રંગ પર થાય છે અને બુધને વૃક્ષનો કારક ગ્રહ માનવામાં આવે છે. 
 
બુધ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે. જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે તો તેનો અશુભ પ્રભાવ બુધના કારક વસ્તુઓ પર પણ પડે છે. 
 
જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો તેના શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તરોઉત્તર વધતો રહે છે.  બુધના પ્રભાવથી છોડમાં ફળ ફૂલ આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 5 વસ્તુઓ દાન કરવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા