Publish Date: Sun, 03 Jun 2018 (13:02 IST)
Updated Date: Sun, 03 Jun 2018 (12:53 IST)
જ્યારે માતા લક્ષ્મી કોઈથી રિસાઈ જાય છે તો તેને મનાવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અશક્ય નથી. જો માતા લક્ષ્મી ઘરમાંથી નીકળી ગયા હોય તો સમજવું કે ત્યાં ગરીબી ત્યાં રહેશે. ભંડોળનો સતત અભાવ હશે તમે પૈસાના અભાવથી પણ પરેશાન થઈ શકો છો.
જો તમે માતા લક્ષ્મીને મનાવવા માંગો છો, અથવા અઢળક સંપત્તિની ઇચ્છા રાખો છો, તો આ નિયમ કાળજીપૂર્વક વાંચો, માતા લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે અને તમારી બધી નાણાં સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે. તો ચાલો જોઈએ ઉકેલ શું છે
જો તમારા પર માતા લક્ષ્મીની કૃપા ઓછી હોય, તો તમારે આ ઉપાય આવશ્યક છે. પ્રથમ રવિવારે, સાંજે એક અભિમંત્રિત કે પ્રિય મોતી શંખમાં, ચાંદીનાં સિક્કા મૂકી શંખને ને પાણીથી ભરીને રાખો આગલા દિવસે એટલે કે-સોમવારે વહેલી સવારે ઉઠતા પાણી પી લો. આ ઉપાયથી તમને ચન્દ્રદેવની અનૂકૂળતા સાથે માતાના આશીર્વાદો મેળવશો. જે લોકોનું જન્મ કુંડળીમાં ચન્દ્ર પ્રતિકૂળ હોય, તેઓ આ ઉપાયથી લાભ મેળવી શકે છે.