Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતા નર્મદાની જન્મ કથા

માતા નર્મદાની જન્મ કથા
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (17:28 IST)
જન્મ કથા 1- કહીએ છે કે તપસ્યામાં બેસ્યા ભગવાન શિવના પરસેવાથી નર્મદા પ્રકટ થઈ. નર્મદા પ્રકટ થતા જ તેમના અલૌકિક સૌંદર્યથી એવી ચમત્કારી લીલાઓ થઈ કે પોતે શિવ પાર્વતી ચોંકી ગયા. ત્યારે તેના નામકરણ કરતા કહ્યુ -દેવી તમે અમારા દિલને ઉલ્લાસથી ભર્યુ છે . તેથી તમારો નામ થયો નર્મદા.  નર્મ-નો મતલબ સુખ અને દા- નો અર્થ છે આપનારી. તેનો એક નામ રેવા પણ છે. પણ નર્મદા જ સર્વમાન્ય છે. 
 
જન્મકથા 2- મૈખલ પર્વત પર ભગવાન શંકરએ 12 વર્ષની દિવ્ય કન્યાને અવતરિત કર્યુ મહારૂપવતી હોવાના કારણે વિષ્ણુ વગેરે દેવતાઓ આ કન્યાનો નામકરણ નર્મદા કર્યો આ દિવ્ય કન્યા નર્મદાએ ઉત્તરવાહિની ગંગા કાંઠે કાશીના પંચકોશી ક્ષેત્રમાં 10000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરીને ઈશ્વર શિવથી કેટલાક એવા વરદાન મેળ્વ્યા જે બીજી કોઈ નદીની પાસે નથી - જેમ
* પ્રલયમાં પણ મારું નાશ ન હોય
* હું વિશ્વમાં એક માત્ર પાપ-નાશિનીના રૂપમાં પ્રસિદ્ધ રહું. 
* મારો દરેક પાષાણ (નર્મદેશ્વર) શિવલિંગના રૂપમાં વગર પ્રાણ પ્રતિષ્ઠાના પૂજિત હોય. 
* મારા (નર્મદા) કિનારે શિવ -પાર્વતી સાથે બધા દેવતા નિવાસ કરીએ. 
*  પૃથ્વી પર નર્મદા- સ્કંદ પુરાણમાં વર્ણિત છે કે રાજા- હિરણ્યતેજાએ ચૌદ હજાર દિવ્ય વર્ષોની અઘરી તપસ્યાથી શિવ ભગવાનને પ્રસન્ન કરી નર્મદાજીને પૃથ્વી પર આવવા માટે વર માંગ્યો. શિવજીના આદેશથી 
નર્મદાજી મગરમચ્છના આસન પર વિરાજ કરી ઉદયાચલ પર્વત પર ઉતરી અને પશ્ચિમ દિશાની તરફ વહીને ગઈ. 
તે જ સમયે મહાદેવજીએ ત્રણ પર્વતોની સૃષ્ટી કરી- મેઠ, હિમાવન, કૈલાશ. આ પર્વતોની લંબાઈ 32 હજાર યોજન છે અને દક્ષિણથી ઉત્તરની તરફ 5 સૌ યોજન છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guruwar- ગુરુવારે કરો આ ઉપાય ધનવાન બનવાથી કોઈ રોકી ના શકશે