Publish Date: Tue, 03 Feb 2026 (12:23 IST)
Updated Date: Wed, 04 Feb 2026 (09:32 IST)
બારામતી ધર્મમાં પૂજનીય શ્રી ધની માતંગ દેવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને તેમને કલ્કી અવતાર અથવા કલ્કિપત્ર તરીકે ઓળખવામાં આવે છે.
કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. યદુવંશ-પ્રકાશ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો પુત્ર તેમના તમામ શાસ્ત્રગ્રંથો લઈને ભાગી ગયેલો અને એક મેઘવાળ હરિજનના ઘરમાં છુપાયેલો.
તે હરિજને તેની સાથે પોતાની પુત્રી પરણાવી. તેના પ્રસવકાળમાં તેણે જ્યોતિષ જોયાં કે સારા મુહૂર્તમાં પુત્ર-પ્રસવ થાય તો તેનો પુત્ર મહાન સંત બને. માટે તેણે તેની પત્નીના પેટ પર તંગ બંધાવી રાખ્યા અને ધારેલા શુભ મુહૂર્તમાં પુત્ર-પ્રસવ થવા દીધો. તે પુત્ર પાછળથી માતંગ દેવ તરીકે પ્રસિદ્ધ થયો.