Publish Date: Mon, 29 May 2017 (19:40 IST)
Updated Date: Mon, 29 May 2017 (17:47 IST)
જો તમારા જીવન પથમાં ડગલે-પગલે મુશ્કેલીઓ આવી રહી છે, જીવન ખુશહાલ નથી અને આર્થિક અભાવોમાંથી પસાર થઈ રહ્યા છો. રોગોએ તમારુ જીવવું મુશ્કેલ કરી દીધું છે અને કિસ્મત પણ તમારું સાથ નથી આપી રહી તો કરો રોટલીના આ ખાસ ઉપાય .
* ભોજન કરતા પહેલા ગાય , કૂતરા અને કાગડા માટે એક -એક રોટલી કાઢી મુકો. . આ ક્રિયાથી ક્યારે પણ આર્થિક સમસ્યાઓના સામનો નહી કરવો પડે. .
* ઘરની ગરીબી દૂર કરવા માટે ગૃહિણી જ્યારે સવારના સમયે રોટલી બનાવી શરૂ કરે તો પહેલી રોટલી બનાવીને એના ચાર સમાન ટુકડા કરી લો. પહેલો ટુકડો ગાય ને, બીજો ટુકડો કાળા કૂતરા ને, ત્રીજો ટુકડો કાગડાને અને છેલ્લો ટુકડો ઘરના પાસે કોઈ ચાર રાસ્તા પર પરિવારનો કોઈ પણ સભ્ય મુકી આવે.
* શનિ, રાહુ અને કેતુના દોષ દૂર કરવા માટે રાત્રે બનતી છેલ્લી રોટલી પર સરસવનું તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો . કાળો કૂતરો ન મળે તો કોઈ પણ બીજા કૂતરાને રોટલી ખવડાવી દો.
* તાજી રોટલી લઈને રોગથી ગ્રસ્ત માણસ ઉપરથી 31 વાર ઉતારી. જેમ-જેમ રોટલી ફેરવો તેમ તેમ સાથે ૐ દુભાગ્યનાશિની દું દુર્ગાય નમ: મંત્ર જાપ કરતા જાઓ પછી રોટલીને કોઈ કૂતરાને ખવડાવી દો કાં તો વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
* કૂતરાને રોટલી ખવડાવવાથી સંતાન પક્ષ તરફથી આવતી મુશેકેલીઓ સમાપ્ત થઈ જાય છે.
* 33 કરોડ દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવો.