Publish Date: Tue, 25 Dec 2018 (13:04 IST)
Updated Date: Tue, 25 Dec 2018 (13:12 IST)
મિત્રો આજે અંગારિકા ચતુર્થી છે. મંગળવારના દિવસે આવનારી ચતુર્થીને અંગારિકા ચતુર્થી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી વિધ્નહર્તા ભગવાન ગણેશ ભક્તના બધા કષ્ટ હરી લે છે. મંગળવારના દિવસે ચતુર્થીનો સંયોગ અંત્યંત શુભ અન એ સિદ્ધિ પ્રદાન કરનારો હોય છે. આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ગજાનન જલ્દી જ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત કર્જ મુક્તિ માટે અંગારકી ચોથના દિવસે અહી જણાવેલ એક ઉપાય કરશો તો આપને કર્જથી જલ્દી મુક્તિ મળી જશે. આવો જાણીએ અંગારકી સંષ્ટ ચતુર્થીના દિવસે કેવી રીત ભગવાન ગણેશને કરશો અને કર્જથી મુક્તિ મેળવશો