Publish Date: Wed, 04 Apr 2018 (08:05 IST)
Updated Date: Tue, 03 Apr 2018 (14:09 IST)
આ વખતે વૈશાખ માસની શરૂઆત 1 એપ્રિલ રવિવારથી થઈ રહી છે. જે 30 એપ્રિલ સોમવાર સુધી રહેશે.
પુરાણો મુજબ વૈશાખમાં સૂર્યોદયથી પહેલા સ્નાન કરનાર અને વ્રત રાખનાર માનસ ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે. પણ જો તમે કેટલીય વાતનો ધ્યાન નહી રાખ્યું તો ભગવાન રિસાઈ પણ શકે છે.
સ્કંદ પુરાણ મુજબ વૈશાખમાં વ્રત રાખનારને દરરોજ સવારે સૂર્યોદયથી પહેલા કોઈ તીર્થસ્થાન, સરોવર, નદી કે કુપ પર જઈને સ્નાન કરવું જોઈએ. સ્નાન કએયા પછી સૂર્યને અર્ધ્ય આપતા આ મંત્ર બોલવું જોઈએ. "વૈશાખે મેષગે ભાનૌ પ્રાત: સ્નાનપરાયણ: અર્ધ્ય તેહં પ્રદાસ્યામુ ગૃહાણ મધૂસૂદન"
તેની સાથે જ વાતોનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વૈશાખ વ્રતની કથા સાંભળવી જોઈએ અને ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવું જોઈએ. વ્રત કરનારને એક સમય ભોજન કરવું જોઈએ. આ મહીનામાં પરબની સ્થાપના કરવી જોઈએ. શકકરટેટી અને બીજા ફળ, અનાજ વગેર્ર્નું દાન કરવું જોઈ
સ્કંદ પુરાણ મુજબ આ મહીનામાં તેલ લગાવવું, દિવસમાં સોવું, તાંબાના વાસણમાં ભોજન કરવું, બે વાર ભોજન કરવું, રાત્રે ખાવું વગેરે વર્જિત ગણાયું છે.