Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે, દશામા વ્રત કથા

dashama vrat 2024 date
, મંગળવાર, 2 જુલાઈ 2024 (11:34 IST)
Dashama Vrat 2024  Date- દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે .  દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ  જોવા મળે છે.  આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે.
 
દશામાં વ્રત 2024  - દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે.
 
દશામાં વ્રત 2024 આગમન -  4 ઓગસ્ટ માસ  અષાઢ માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે.

દશામાં વ્રત 2024 સમાપ્ત - 13 ઓગસ્ટ 2024, દિવસ- મંગળવાર, 
 
દશામા વ્રત 2024-  કંકુના ડગલે આવો દશા મા
5 મી ઓગસ્ટ  થી ગુજરાતી શ્રાવણ મહીનો  શરૂ થઈ રહ્યો  છે અને 2 સપ્ટેમ્બર  સમાપ્ત થશે. આ 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને 'દશમા ના નોરતા' - દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.

દશામાની વ્રતકથા 


 
 
એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયુ તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, "હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી સિસાય જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ, દશ ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંલ્લા કરવા. ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.
 
એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, ‘પડું છું...’ બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા-રાણી પરિવાર સાથે દુઃખી થયાં. રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઊતર્યા. પાછળ બે કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્ર્વાસન આપતાં સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા. હવે એ જ આપશે. આગળ જતાં રાજા-રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યાં. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ-ફૂલ નાશ પામ્યાં. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યાં. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધુ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો. 
 
 આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. 
 
એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને   પકડી લીધો.. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવ રની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુક્મ આપી બંદીખાનામાં નાખી દીધો.. 
 
રાજા વગર વાંકે કેદ થયો . તેથી રાણી અનંગસેના પર દુખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી. લાકડાનો ભારો લઈ આવતી . એ વેચીને જે પૈસા  મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ  મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટ્લે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા. અને માની ભક્તિ કરી..જે રાજાએ અભયસેનને કેદ ક ર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજા રાણી  જંગલમાંથી ચાલતાં ચાલતાં આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામા વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભાં છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયાં. માના પગમાં પડી ગયાં. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાં કહ્યું,
 
હે રાજા ! હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઇચ્છા કરતાં હતાં તે સઘળાં સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે.
 
રાજા-રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યાં. રાજા-રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા ! જેવાં અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો.
 
Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha