Publish Date: Mon, 17 Jul 2023 (08:34 IST)
Updated Date: Mon, 17 Jul 2023 (08:45 IST)
Dashama Vrat 2023 Date- દશામાં વ્રત ૨૦૨૩ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે.
દશામાં વ્રત ૨૦૨૩ આગમન - 17 ઓગસ્ટ અધિક માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે. 17 જુલાઈ, 2023, દિવસ- સોમવાર, અષાઢા માસ
આજનુ ચોઘડિયા અને શુભ મુહુર્ત - 17 જુલાઈ, 2023, દિવસ- સોમવાર, અષાઢા માસ અમાસ, કૃષ્ણ પક્ષ, અમાવસ્યા તિથિ, પુનર્વસુ નક્ષત્ર, ચંદ્ર- મિથુન રાશિમાં રાત્રે 10.32 વાગ્યા સુધી, સૂર્ય- કર્ક રાશિ,
અભિજીત મુહૂર્ત- બપોરે 12.55 વાગ્યા સુધી, રાહુકાલ- સવારે 07.17 વાગ્યા સુધી સવારે 09.01 કલાકે
દશામા વ્રત ક્યારે છે?
ઘણાં બહેનો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશા માઁના વ્રતની ઉજવણીનો પ્રારંભ કરતા હોય છે. દિવાસો 2023 તારીખ 17 જુલાઈ થી અધિક માસની શરૂઆત થઈ રહી છે
દશામા વ્રત 2023- કંકુના ડગલે આવો દશા મા
17મી ઓગસ્ટ થી ગુજરાતી શ્રાવણા મહીનો શરૂ થઈ રહ્યું છે અને 26મી ઓગસ્ટ સમાપ્ત થશે. આ 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને 'દશમ ના નૌરતા' - દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.
અષાઢ વદ અમાસને દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
Edited By-Monica sahu