કઈ વસ્તુનું દાન કરવાથી શું થાય છે?

હિંદુ ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે, જાણો કઈ વસ્તુનું દાન કરવાથી શું થશે

webdunia

પાણીનું દાનઃ પ્યાઉં લગાવીને કે કોઈ મંદિરમાં માંટલુ મુકીને પાણીનું દાન કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળવા સાથે પુણ્ય પ્રાપ્ત થાય છે.

ગોળનું દાનઃ ગોળનું દાન કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં સફળતાની સાથે માન-સન્માન પણ વધે છે.

ફળ દાનઃ ગરીબોને અથવા મંદિરમાં ફળોનું દાન કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે

દહીંનું દાનઃ કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ હોય તો દહીંનું દાન કરવાથી શુભ ફળ મળે છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.

ચોખાનું દાનઃ ચોખાનું દાન કરવાથી ચંદ્રની સાથે શુક્રનું પણ ફળ મળે છે. માતા અને પત્નીનું સ્વાસ્થ્ય સારું રહે.

તેલનું દાનઃ તેલનું દાન કરવાથી શનિની દશા, મહાદશા, સાડેસાતી, અઢીયો વગેરેમાંથી મુક્તિ મેળવી સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

મીઠાનું દાનઃ મીઠાનું દાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. દરેક પ્રકારના સંકટનો અંત થઈને તમને શુક્રનું સારું પરિણામ મળે છે.

વસ્ત્રોનું દાનઃ આ શુક્ર અને બુધના શુભ પરિણામના સંયોગથી જીવનમાં ધનની વૃદ્ધિ કરે છે.

હળદર અને કેસર: હળદર કે કેસરનું દાન કરવાથી ભાગ્ય જાગૃત થાય છે અને આયુષ્ય વધે છે. તેના બદલે તમે ચણાની દાળ, પીળા કપડા અથવા પીળા ફળનું દાન કરી શકો છો.

Astro Tips- 2023માં અજમાવો લાલ કિતાબના આ 7 અચૂક ઉપાય

Follow Us on :-