PM મોદીની ખાસ રેસીપી સરગવાના પરાઠા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરગવાની શીંગના પરાઠા ખૂબ જ પસંદ છે, તો ચાલો જાણીએ તેની રેસીપી

social media

ડ્રમસ્ટિક પરાઠા બનાવવા માટે, પહેલા સરગવાની શીંગોને સારી રીતે ઉકાળો.

આ પછી એક બાઉલ પર ચાયણી મૂકો અને બાફેલા શીંગોને સારી રીતે મેશ કરો.

મેશ કર્યા પછી, શીંગોમાંથી બધુ પાણી બાઉલમાં આવી જશે અને તમે તેની છાલને અલગ કરી શકો છો.

ત્યારબાદ શીંગના પાણીમાં 1 ચમચી હળદર, મરચું પાવડર, ધાણા પાવડર, આમચૂર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

હવે પાણીમાં ઝીણી સમારેલી કોથમીર, તલ, હિંગ અને જીરું પાવડર ઉમેરો.

આ પછી પાણી પ્રમાણે લોટ ઉમેરો અને એક ચમચી તેલ ઉમેરી લોટ બાંધો.

તમારો પરાઠાનો લોટ તૈયાર છે, હવે તમે ત્રિકોણ અથવા ગોળ આકારમાં પરાઠા બનાવી શકો છો.

જો તમે તેલને બદલે ઘીનો ઉપયોગ કરીને પરાઠા બનાવશો તો તે વધુ સ્વાદિષ્ટ બનશે.

આ પરાઠા તમારી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આજે પણ વડાપ્રધાન આ પરાઠા ખાય છે.

Rice Water Benfits- જાણો સ્કીન પર ચોખાના પાણીના ફાયદા

Follow Us on :-