જો કોઈ વ્યક્તિ કેટલીક સામાન્ય વાસ્તુ સાવધાનિઓનું પાલન કરે તો ચોક્કસ તે પોતાની આવક વધારી શકે છે. પૈસાનુ નુકશાન રોકી શકાય છે અને આર્થિક કષ્ટ તેમજ કર્જથી મુક્તિ મેળવી શકાય છે.
- ફેંગશુઈ મુજબ શયનકક્ષ કે તિજોરીવાળા રૂમમાં પ્રવેશ દ્વારની સામેની દિવાલના ડાબા ખૂણામાં સંપત્તિ અને ભાગ્યનુ ક્ષેત્ર હોય છે. આ ખૂણો ક્યારેય કપાયેલો ન હોવો જોઈએ અને અહી ધાતુની કોઈ વસ્તુ મુકવી કે લટકાવવી શુભ હોય છે.
- ઈશાન ખૂણામાં ટોયલેટ હોવાથી પૈસા ફ્લશ થતા રહે છે. અને મકાનની વચ્ચે ટોયલેટ હોવાથી આર્થિક સંકટ આવે છે. તેથી ઈશાન ખૂણામાં અને મધ્યમાં ક્યારેય પણ ટોયલેટ ન બનાવવુ જોઈએ. ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ.
- સીડીઓની નીચે તિજોરી મુકવી અશુભ હોય છે. સીડીયો કે ટોયલેટની સામે પણ તિજોરી ન મુકવી જોઈએ. તિજોરીવાળા રૂમમાં કબાટ કે કરોળિયાના જાળા હોવા અશુભ હોય છે.
- ઉત્તર દિશાનો સ્વામી ધનના દેવતા કુબેર છે. તમે રૂપિયા કે ઘરેણા જે તિજોરીમાં મુકો છો તે તિજોરી મકાનની ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દિવાલને અડીને મુકવી જોઈએ. આ રીતે મુકવાથી તિજોરી ઉત્તર દિશા તરફ ખુલશે જેમા મુકવામાં આવેલા પૈસા અને ઘરેણામાં કાયમ વધારો થતો રહેશે.
- ક્યારેય મોટા મકાનો વચ્ચે નાનુ ઘર ન ખરીદશો. આજુબાજુના મકાનોની તુલનામાં જે મકાન ખૂબ નાનુ હોય છે તે મકાનમાં રહેનાર વ્યક્તિ ક્યારેય પ્રોગ્રેસ નથી કરી શકતો. આ કારણે ગરીબી અને કર્ઝમાં ડૂબેલો રહે છે.