Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુશાસ્ત્ર મુજબ આ ભૂલ ન કરશો, થાય છે લક્ષ્મીનું અપમાન

વાસ્તુશાસ્ત્ર મુજબ આ ભૂલ ન કરશો, થાય છે લક્ષ્મીનું અપમાન
, સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (12:47 IST)
-બેડરૂમમાં એઠાં વાસણો મુકવાથી ઘરની સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે અને પરિવારમાં ક્લેશ પણ થાય છે 
- બેડરૂમમાં ભારે વસ્તુઓ ન મુકો 
- બેડરૂમમાં ગંદા વ્યસન કરવાથી તમારી પ્રગતિમાં અવરોધ ઉભો થશે 
- સીડીની નીચે બેસીને કોઈપણ કાર્ય ન કરો 
- કોઈપણ દ્વાર પર અવરોધ ન હોવો જોઈએ. 
- પ્રવેશ દ્વારની તરફ પગ મુકીને ન સુવુ જોઈએ. લક્ષ્મીનું અપમાન થાય છે. 
-  કોર્ટ કેસની ફાઈલ મંદિરમાં મુકવાથી કેસ જીતવામાં મદદ મળે છે. 
- સ્વર્ગવાસી વૃદ્ધોની ફોટો હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. ઘરમાં ઘડિયાળના સેલ પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ. કારણ કે તેના ધીમા પડવાથી  ઘડિયાળ પણ પાછળ થશે જેને કારણે ગૃહસ્વામીનુ ભાગ્ય ધીમુ ચાલશે. 
- પલંગ ક્યારેય દિવાલને અડીને ન રાખો. તેનાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થાય છે. 
- કોઈપણ મકાનનું ત્રણ રસ્તા પર હોવુ અશુભ હોય છે. આ દોષ માટે ચાર દિવાલો પર અરીસો મુકવો જોઈએ. 
- જો કોઈ વધુ સમયથી બીમાર છે તો તેને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સૂવડાવવા જોઈએ.  ઈશાન ખૂણામાં ઠંડુ પાણી મુકવાથી રોગી ખૂબ જલ્દી સ્વસ્થ થાય છે. 
- ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ, દુર્ગા યંત્ર, ત્રિશક્તિ અંદર અને બહારની તરફ ગણપતિ અથવા દક્ષિણ મુખી દ્વાર પર હનુમાનજીની તસ્વીર અને ભૈરવ યંત્ર લગાવીને લાભ લઈ શકાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati