Publish Date: Wed, 13 Jul 2022 (09:26 IST)
Updated Date: Wed, 13 Jul 2022 (09:45 IST)
દરેક વ્યક્તિની સફળતા પાછળ ગુરુનો હાથ હોય છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને પ્રકાશનો દીપક માનવામાં આવે છે. ગુરુ વિના વ્યક્તિનું જીવન અધૂરું છે. દરેક વ્યક્તિ ગુરુની મદદથી જ સફળ બને છે.
ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.
ગુરુજી આપે પ્રાણ સુના અંતરે પ્રગટે દીપ,
ખોયું તે ભૂલી જે છે તેમાંથી કર નવસર્જન,
ગુરુજી ખોલે અંતર ચક્ષુ આપે શિક્ષા અપાર.
આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.