Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

લખનઉ: પ્રાઈવેટ હોસ્પિટલે કોવિડ દર્દીનો 19 લાખનું બિલ બનાવ્યો, 8 લાખ આપ્યા પછી પણ મૃતદેહ નથી આપ્યુ

Gujarat News in Gujarati
, સોમવાર, 31 મે 2021 (10:32 IST)
કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે, તેમ છતાં લોકોની સમસ્યાઓનો અંત નથી થઈ રહ્યો. અત્યારે બેડ અને ઓક્સિજન તો મળી રહ્યો છે પણ હોસ્પીટલમાં ભારે બિલની સામે લોકો લાચાર છે. આવો જ એક 
બનાવ ઉન્નાવૅણૅઍ અનિલ કુમાર સાથે થયો. અનિલની પત્નીનું મૃત્યુ કોરોનાથી થઈ ગયુ પણ બિલ ન ચૂકવવાના કારણે હોસ્પીટલ લાશ નથી આપી રહ્યા છે. 
 
ઉન્નાવ રહેવાસી અનિલ કુમારની પત્ની લખનૌની ટેન્ડર પામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહી હતી. પ્રાઈવેટ હોસ્પિટલે પીડિતને 19 લાખનું બિલ આપ્યુ જેમાંથી પરંતુ હજી 10 લાખ 75 હજાર રૂપિયા બાકી છે. આ બાકી હોવાને કારણે હોસ્પિટલ પીડિત પત્નીની લાશ આપવાનો ના પાડી રહ્યા છે. 
 
જાણકારી પ્રમાણે લખનઉના ગોમતીનગર એક્સ્ટેંશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેન્ડર પામ નામની એક ખાનગી હોસ્પિટલ છે, જેમાં પીડિતાએ તેની કોરોના પીડિત પત્નીને એડમિટ કરાવ્યો હતો.  પરિવારના 
આરોપ છે કે ટેન્ડર પામ હોસ્પિટલે તેમને બળજબરીથી તેણે 19 લાખ 20 હજારનું બિલ આપ્યો, જેમાંથી તેણે 8.85 લાખ જમા પણ કરાવ્યા.
 
પીડિતાનું કહેવું છે કે રવિવારે મારી પત્નીનું મોત થયુ તે પછી, જ્યારે મેં મારી પત્નીનો મૃતદેહ માંગ્યો તો તે બાકી પૈસાની માંગણી કરવા લાગ્યા મારી પાસે અત્યારે પૈસા નથી પરંતુ હોસ્પિટલના 10.75 લાખ માંગે છે. અનિલએ લખનઉના ડીએમને ફરિયાદ કરી છે. આ ફરિયાદ અંગે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બંગાળના કોચવિહારમાં BJP કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી જોવા મળી TMC પર હત્યાનો આરોપ