Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

51 Shaktipeeth : સર્વાણી કન્યાશ્રમ કન્યાકુમારી તમિલનાડુ શક્તિપીઠ - 30

Sarvani Shakti Peeth Kanyakumari
, સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (17:32 IST)
Sarvani Kanyashram Shakti Peeth Kanyakumari Tamil Nadu -  દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
કન્યાશ્રમ- સરવાણી કન્યાકુમારીઃ કન્યાશ્રમમાં માતાની પીઠ પડી હતી. તેની શક્તિ સર્વવાણી છે અને શિવ નિમિષ કહેવાય છે. કેટલાક વિદ્વાનો માને છે કે માતાનો ઉપરનો દાંત અહીં પડ્યો હતો. કન્યાશ્રમને કાલિકાશ્રમ અથવા કન્યાકુમારી શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શક્તિપીઠ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે. આ એક નાનો ટાપુ છે જ્યાંનો નજારો ખૂબ જ મનોહર છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Masik Shivratri Vrat 2024: આ વિધિથી કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના પૂર્ણ થશે.