Publish Date: Mon, 17 Jan 2022 (09:34 IST)
Updated Date: Mon, 17 Jan 2022 (09:35 IST)
દેશમાં કોરોના (Corona) અને ઓમિક્રોન (Omicron) ના તીવ્રતાથી વધી રહ્યા કેસની વચ્ચે રાજ્યએ પ્રતિબંધમાં સખ્તી કરી છે. કોવિડના દૈનિક કેસ ઘણા દિવસોથી 2.5 લાખથી વધારે નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. તેમજ 385 લોકોની આ મહામારીની ચપેટમાં આવવાથી મોત થઈ ગઈ. આ દરમિયાન 1,51,740 કોરોના દર્દીઓની રિકવરી થઈ.
ગઈકાલની સરખામણીએ દેશમાં 13,113 ઓછા કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે દેશમાં કોવિડ-19ના 2,71,202 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના આંકડા વધીને 8,209 થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, દરેક નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાયરસની આ લહેર મુખ્યત્વે ઓમિક્રોનને કારણે છે.