Publish Date: Sun, 03 Nov 2024 (12:26 IST)
Updated Date: Sun, 03 Nov 2024 (12:18 IST)
Bihar news - નાલંદામાં શ્રાદ્ધ વિધિ દરમિયાન ડાન્સર પર ડાન્સ ફ્લોર પર ફાયરિંગ કરી જેમાં ગોળી લાગવાથી એક યુવકનું મોત થયું હતું. મોતને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને રવિવારે સવારે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ ઘટના કરયાપરસુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મખદુમપુર ગામમાં બની હતી. મૃતકની ઓળખ ચિકસૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાની વિઘા ગામના રહેવાસી પ્રમોદ યાદવના 18 વર્ષના પુત્ર અર્શિવાદ કુમાર તરીકે થઈ છે.
આ ઘટના મખદુમપુર ગામમાં બની હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે મખદુમપુર ગામમાં શ્રાદ્ધના અવસર પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડાન્સરના ડાન્સ પર લોકો ખુશીથી ફાયરિંગ કરી રહ્યા હતા, ત્યારે આશીર્વાદ નામના યુવકને ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.