Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય સેનાની કાર્યવાહીથી પાકને જોરદાર નુકશાન, 11ના મોત

ભારતીય સેનાની કાર્યવાહીથી પાકને જોરદાર નુકશાન, 11ના મોત
શ્રીનગર. , બુધવાર, 23 નવેમ્બર 2016 (15:04 IST)
પાકિસ્તાન સેના દ્વારા માછિલમાં ત્રણ શહીદ ભારતીય જવાનોના શબ સાથે કરવામાં આવેલ બર્બરતાથી ક્રોધિત ભારતીય સેનાએ પાકિસ્તાનને આ કાયર હરકતનો કરારો જવાબ આપ્યો છે.  જવાબી કાર્યવાહીના હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકિયોને નિશાન બનાવતા ભારે હથિયારોથી ગોળીબારી કરી છે. આ કાર્યવાહીમાં સીમા પાર જોરદાર નુકશાન થયુ છે. જેની ચોખવટ ખુદ પાકિસ્તાનના એક અંગ્રેજી છાપાએ કરી છે. 
 
પાકિસ્તાની છાપુ ધ ડોન મુજબ ભારતે લવાત એરિયામાં બુધવારે ફાયરિંગ કરી. મોર્ટાર પણ છોડ્યા. આ દરમિયાન એક બસ પણ તેની ચપેટમાં આવી ગઈ. જેમા 11 લોકોના મોત થઈ ગયા અને 11 અન્ય ઘાયલ થઈ ગયા. આ અગાઉ પાકિસ્તાને બુધવારે સવારે પાંચ સ્થાન પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કર્યુ. જો કે અત્યાર સુધી આ ફાયરિંગમાં કોઈના પણ ઘાયલ થવાના સમાચાર નથી. પાકિસ્તાની વેબસાઈટ ધ ડોન મુજબ. 
 
ભારતીય સેનાની આ કાર્યવાહીની માહિતી આપતા ઉત્તરી કમાંડના બ્રિગેડિયર એક ગોત્રાએ જણાવ્યુ કે પાક સૈનિકો દ્વારા એક ભારતીય જવાનનુ માથુ કાપવાની કાયરતા ભરી હરકત પછી ભારતે પણ જોરદાર કાર્યવાહી કરી છે.  આ કાર્યવાહી સીમા પાસે આવેલ માછેલ સેક્ટરમાં કરવામાં આવી છે. સેનાના પીઆરઓ મનીષ મેહતા મુજબ પાકિસ્તાને એલઓસી પાસે ભિંબેર ગલી, કૃષ્ણા ઘાટી અને નૌશહરા સેક્ટરમાં ગોળીબારી કરી હતી. 
 
આ દરમિયાન ત્રણ ભારતીય જવાબ શહીદ થઈ ગયા હતા. જેમા એક જવાનનુ પાક સૈનિકોએ માથુ કાપીને પણ તેની સાથે બર્બરતા કરી હતી. બે મહિનામાં આ બીજીવાર છે જ્યારે પાક સૈનિકોએ આ રીતે કાયરતા ભરી હરકત કરી હોય.  ત્યારબાદથી જ ભારતીય જવાનોમાં આક્રોશ છે. સરકારે પણ આનો બદલો લેવાની ખુલ્લી છૂટ સૈનિકોને આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે લોકોને પોતાની સેના પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી - કેટલુ મુશ્કેલ છે 20 અરબ નોટોને નષ્ટ કરવી ?