Publish Date: Sun, 03 Nov 2024 (10:08 IST)
Updated Date: Sun, 03 Nov 2024 (16:10 IST)
Amritsar Howrah Mail: પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન પાસે શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે એક ચાલતી ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. અમૃતસરથી ચાલતી હાવડા મેલના જનરલ ડબ્બામાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એક ડોલમાં રાખવામાં આવેલા ફટાકડાને કારણે થયો હતો.
વિસ્ફોટનો અવાજ સાંભળીને લગભગ 20 મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં 4 મુસાફરો ઘાયલ થયા હતા.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ ઘાયલોની ઓળખ અજય કુમાર અને તેની પત્ની સંગીતા કુમારી તરીકે થઈ છે, જેઓ ભોજપુર પીરુ બિહારના રહેવાસી છે, ઉત્તર પ્રદેશના આશુતોષ પાલ અને નવાદા બજાર બિહારના રહેવાસી સોનુ કુમાર છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જીઆરપી અને આરપીએફએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
webdunia
Publish Date: Sun, 03 Nov 2024 (10:08 IST)
Updated Date: Sun, 03 Nov 2024 (16:10 IST)