Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિગ્વિજયસિંહને બોલવાનું ભાન નથી, મોદીને જીતાડવા કંઈપણ કરીશ - રામદેવ

દિગ્વિજયસિંહને બોલવાનું ભાન નથી, મોદીને જીતાડવા કંઈપણ કરીશ - રામદેવ
હમીરપુર , મંગળવાર, 16 જુલાઈ 2013 (13:10 IST)
:
P.R
યોગુ ગુરુ બાબા રામદેવે કહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે જ દેશ ચલાવવાની ક્ષમતા છે. જે મુદ્દાઓ તેમણે રાખ્યા હતા તેમના પર ચાલવાની મોદીએ સંમતિ આપી દીધી છે. યોગગુરુએ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહને વાહિયાત નેતા ગણાવ્યા હતા.

હિમાચલપ્રદેશના હમીરપુરની એક શાળાના કાર્યક્રમમાં સામેલ રામદેવે પત્રકારોને જણાવ્યુ હતુ કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે કે ન તો કોઈ રાજકીય પદ ગ્રહણ કરશે.

રામદેવે કહ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પાસે દેશ ચલાવવા માટેની દ્રષ્ટિ નથી. તે વિદેશોમાં પોતાની મહિલામિત્રો સાથે સમય પસાર કરવા ચાલ્યા જાય છે. તેમને દેશની જનતાની પરવા નથી. દિગ્વિજયસિંહ અંગે કહ્યુ હતુ કે તેમને શું બોલવું એ જ ભાન નથી.

રામદેવે કહ્યુ કે નરેન્દ્ર મોદીને જીતાડવા માટે કંઈપણ કરીશું. કારણ કે નરેન્દ્ર મોદી જ દેશનું શાસન સુચારુરુપે ચલાવી શકે તેમ છે.

Share this Story:

Follow Webdunia gujarati