ઈગ્લેંડ સાથે રમાયેલ ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો. કલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાયેલ મેચમાં ઈગ્લેંડે ટીમ ઈંડિયાને 5 રનથી હરાવ્યુ. જો કે બે મેચ જીત ચુકેલી ઈંડિયાએ શ્રેણી પર 2-1થી કબજો કરી લીધો. વિરાટની સેનામાં આજે ફક્ત કેદાર જાધવની બેટ ચાલી. જાધવે આક્રમક રમત રમી 90 રન ફટકાર્યા હતા હતી છતાં ભારત મેચ જીતી ના શક્યુ. વિરાટ કોહલી 55 રને આઉટ થયો હતો. જ્યારે યુવી 45 રને આઉટ થયો હતો. ધોની 25 રન બનાવી આઉટ.
ભારતની ખરાબ શરૂઆત થઇ હતી અજિંક્ય રહાણે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ લોકેશ રાહુલ પણ 11 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયના 65, બેરિસ્ટોના 56 તેમજ બેન સ્ટોક્સના આક્રમક રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 321 રન બનાવ્યા હતા.
આજની મેચમાં ટીમ ઈંડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેંડની ઓપનિંગ જોડીએ સંગીન શરૂઆત કરી હતી. કટકમાં જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ પહેલા જ સીરિઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરવાનો પ્રયત્ન કરશે.