વાંદરાઓ માટે ખાસ ભોજન. જી હા તમે સાચુ વાંચી રહ્યા છો. આ ભોજન માત્ર વાંદરાઓ માટે જ હોય છે. ખાસ વાત એ છે કે આ ભોજનનોનું મેન્યું કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી. આ વર્ષે જ્યારે થાઈલેંડમાં આ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ તો વિશ્વ ભરના પર્યટક ત્યાં પહોંચ્યા અને આ ભોજના ભાગ બન્યા. ભોજમાં વાંદરાઓ માટે ખાસ ફળ ચોખા અને કાજૂની વય્વસ્થા કરવામાં આવી હતી. આ ભોજ થાઈલેંડમાં નાર્થ બેંકાકને લોપબુરી પ્રાંતમાં દર વર્ષે નવેમ્બરના એંડમાં આયોજીત કરવામાં આવે છે. આ આયોજનમાં દૂર-દૂરથી પહૉંચેલા પર્યટકોના ખભા પર વાંદરાઓ ચઢે છે તો કોઈના વાળ ખેંચે છે. એટલું જ નહી ઘણા તો એક બીજા પર ભોજન ફેંકે પણ છે.
1980ના દસકાથી ચાલી રહ્યો છે આ ફેસ્ટીવલ
એવુ કહેવાય છે કે આ ફેસ્ટીવલ 1980ના દસકાથી ચાલી રહ્યો છે . આ ફેસ્ટીવલ હિન્દુ મંદિરોમાં ઉજવાય છે . આ આયોજનના પાછળ લોકોની માન્યતા છે કે વાંદરોને સારું અને સ્વાદિષ્ટ ભોજન ખવડાવાથી ભાગ્ય સારું રહે છે.