Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીંગતેલના ભાવમાં વધારો થતા ગાંઠિયાના ભાવમાં 40 રૂપિયાનો થયો વધારો

સીંગતેલના ભાવમાં વધારો થતા ગાંઠિયાના ભાવમાં 40 રૂપિયાનો થયો વધારો
, શુક્રવાર, 25 માર્ચ 2022 (12:59 IST)
કોરોનાથી કરવામાં આવેલા લોકડાઉનના મારમાંથી હજુ બેઠાં થવાયું નથી ત્યાં જીવન ઉપયોગી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારાથી તમામ રીતે બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની અસર દરેક ફરસાણ પર થઈ છે. પણ સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારો સીધો પહેલા ગાંઠિયાની ડીશને અસર કરે છે. 
 
ગુજરાતીઓ સવારે ચા સાથે ગાંઠિયા-ફાફડા ખાવાના શોખીન હોય છે અને તેમા પણ સૌરાષ્ટ્રવાસીઓના રવિવારની શરૂઆત સવારે ગાંઠિયાથી થાય છે. પણ હવે દર રવિવારે ગાંઠિયા ખાવા નહીં પોસાય. ખાસ કરીને રાજકોટની સ્વાદપ્રેમી જનતાએ હવેથી ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. કારણ કે સિંગતેલમાં ભાવ વધારો થતા ગાંઠિયાના ભાવમાં રૂ. 40નો સીધો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
 
હવે ગાંઠિયા રૂ.360થી 400ના કિલો થયા છે. એટલે હવે સવારે ગરમાગરમ ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. મધ્યમવર્ગની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસની કમર આર્થિક રીતે હવે તૂટવા પર છે.  ગુજરાતી થાળીમાં ફરસાણ વગર ન ચાલે. એટલે આ એક વાનગીમાં ભાવ વધારાથી કાઠિયાવાડી થાળી પણ મોંઘી થાય એવી પૂરી સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા હજારો આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા