નવરાત્રિ ચાલી રહી છે અને આ સમયે સાત્વિક ભોજન કરવામાં આવે છે. જેમા સાબૂદાણા લોકોને ખૂબ પસંદ પડે છે. સાબૂદાણાની ખિચઈએ હોય કે પછી સાબુદાણાના વડા. લોકો અનેક રીતે તેનો પ્રયોગ કરે છે. સાબૂદાણા વર્તમાં સાત્વિક આહારના રૂપમાં કામ આવે જ છે સાથે જ પેટ પણ ભરાય જાય છે અને સ્વાદનું તો કહેવુ જ શુ. તો જાણી લો એ સાબુદાનાના શુ ફાયદા છે..
- જો તમે શાકાહારી છો અને સારુ પ્રોટીન ખાવા માંગો છો તો સાબુદાણા તમારી મદદ કરશે. સાબૂદાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. જે માંસપેશીયોને મજબૂત બનાવે છે અને તેના વિકાસમાં મદદ કર છે.
- સાબૂદાણામાં પ્રોટીન ઉપરાંત ઘણી માત્રામાં આયરન અને કેલ્શિયમ હોય છે જે હાડકાની મજબૂતીના હિસાબથી ખૂબ જરૂરી છે.
- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને રક્ત સંચાર પણ ઠીક કરે છે.
- વ્રતને કારણે ખાલી પેટ રહેવાથી શરીરમાં તાકત ઓછી થઈ જાય છે પણ જો સાબુદાણા ખાવામાં આવે તો તેનાથી પેટ ભરેલુ રહે છે જે શરીરમાં તાકત લાવે છે. સાબુદાણાને કાર્બોહાઈડ્રેટ શરીરમાં ચુસ્તી કાયમ રાખે છે.
- વજન વધારવા માંગો છો તો સાબુદાણા ખાવ. જે લોકો જે ખાવાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને વજન વધારવા માંગે છે તો તેનાથી સારો કોઈ વિકલ્પ નથી. આ સસ્તુ, સુપાચ્ય અને તાકત આપે છે.
- બાકી આ ખૂબ જ સુપાચ્ય વસ્તુઓમાં ગણવામાં આવે છે. પેટ ખરાબ થાય અને કંઈક હળવો ખોરાક ખાવો હોય તો સાબુદાણાની ખિચડી ખૂબ જ કરતા સારુ કશુ નહી.
- ગર્ભવતી મહિલાઓના ગર્ભનો ખ્યાલ રાખે છે સાબુદાણા. તેમા રહેલ ફૉલિક એસિડ અને વિટામીન બી જન્મ સમય થનારી સમસ્યાઓથી બચાવે છે.