ગરમીમાં એક મોટી સમસ્યા છે ફૂડ પાઈજિનિંગ. ફૂડ પાઈજિનિંગ ખોરાકમાં બેકટેરિયા આવવાને કારણે હોય છે. ફૂડ પાઈજિનિંગમાં તાવ,ઉબકા - ઝાડા થવા,ચક્કર આવવા અને શરીરમાં દુખાવા થવો એ સામાન્ય વાત છે. ઘણી વાતો ધ્યાનમાં રાખી આ સમસ્યાથી બચી શકાય છે.
તાજુ ભોજન - જે પણ ખાવ તે તાજુ અને ગરમ કરીને ખાવ.
સાફ વાસણ - ધ્યાન રહે કે જે વાસણ અને જે જ્ગ્યા પર તમે ભોજન રાખો તે સાફ સુથરી હોવી જોઈએ.
હાથ ધુવો - જમતા પહેલાં હાથ સારી રીતે ધોવા .
બહારના તળેલા- શેકેલા ભોજનથી દૂર- બજારમાં મળતાં ખુલ્લા તળેલા શેકેલી વસ્તુઓ ,પાનીપુરી વગેરેથી આ દિવસોમાં દૂર રહેવું .
ઉપચાર લીંબું પાણી - ફૂડ પાઈજિનિંગ થતાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબૂ ,મીઠું , ખાંડ મિક્સ કરી પીવું .
દહી અને મેથીદાણા - ઉલટી થઈ રહી હોય તો એક ટેબલ સ્પૂન દહીંમાં એક ચમચી મેથીદાણા મિક્સ કરી લેવાથી લાભ હશે.
ડૉકટરનો સંપર્ક - જો દૂષિત ભોજન કરવાથી તમને વારવાર ઉલટી થાય ,ઉલટીમાં લોહી આવે ,પેટમાં દુ:ખાવો ,બોલતાં જોતા મુશ્કેલી થાય, નબળાઈ લાગે , એવા લક્ષણ હોય તો તરત જ ડૉકટરનો સંપર્ક કરવો.