Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રદ્ધા મર્ડર કેસ પર ઓવૈસીએ કહ્યું, 'આ લવ જેહાદનો મામલો નથી, ભાજપ રાજનીતિ કરી રહી છે

શ્રદ્ધા મર્ડર કેસ પર ઓવૈસીએ કહ્યું, 'આ લવ જેહાદનો મામલો નથી, ભાજપ રાજનીતિ કરી રહી છે
, શુક્રવાર, 25 નવેમ્બર 2022 (10:28 IST)
અમદાવાદમાં ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શ્રદ્ધા મર્ડર કેસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું હતું કે, "ભાજપની રાજનીતિ બિલકુલ ખોટી છે. આ લવ જેહાદનો મામલો નથી. આ મહિલાની હત્યા, તેના પર થતા અત્યાચારનો મામલો છે. અમે તેની નિંદા કરી છે."
 
"દેશના પુરુષોના દિમાગમાં મહિલાઓ પર અત્યાચાર કરવાની બીમારી છે, તેમના દિમાગનો ઇલાજ કરાવવો જોઈએ.”
 
ગુજરાતમાં ઓવૈસી સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમની પાર્ટી 13 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.-
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aadhaar Card: નકલી આધાર કાર્ડ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારની એડવાઈઝરી