Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તન મન થઈ જશે પવિત્ર, ગાયનુ છાણ ખાઈને બોલ્યો MBBS ડોક્ટર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

તન મન થઈ જશે પવિત્ર, ગાયનુ છાણ ખાઈને બોલ્યો  MBBS ડોક્ટર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (13:35 IST)
ગાયના દૂધ સાથે તેના મૂત્રમાં પણ ઔષધીય ગુણ હોય છે જેને લઈને વિવાદ ખૂબ જૂનો છે. આ દરમિયાન હરિયાણાના એક ડોક્ટરનો વીડિયો ઈંટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે ગાયનુ છાણ ખાતા દેખાય રહ્યો છે. ગાયનુ છાણ ખાતા તે કહે છે કે તેનાથી તન અને મન પવિત્ર થઈ જશે. 
 
ટ્વિટર બાયોના મુજબ મનોજ મિત્તલ વ્યવસાયે એમબીબીએસ એમડી ડોક્ટર છે અને હરિયાણાના કરનાલમાં બાળકોના ચિકિત્સક છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે તેઓ ગાયનુ છાણ ખાતા તેના ફાયદા બતાવી રહ્યા છે. લોકો આ વીડિયોને શેયર કરતા ખૂબ આનંદ લઈ રહ્યા છે. 

 
વાયરલ વીડિયોમાં દેખાઅય રહ્યુ છે કે મનોજ મિત્તલ ગૌશાળામાં છે. તેઓ કહે છે કે ગાયમાંથી મળનારી પંચગવ્યનો એક એક ભાગ માનવજાતિ માટે ખૂબ કિમંતી છે. જો આપણે ગાયના છાણની વાત કરીએ તો મારી મમ્મી હંમેશા એકાદશીના વ્રત પર ગાયનુ છાણ લેતી હતી. ત્યારબાદ છાણ મોઢામાં લેતા તેઓ કહે છે કે જો આપણે એક ચમચી  ગાયનુ છાણ ખાઈ લઈએ તો આપણુ તન મન પવિત્ર થઈ જાય છે. આપણી આત્મા પવિત્ર થઈ જાય છે. આ એક વાર આપણા ગર્ભમાં જાય તો આખુ શરીર શુદ્ધ કરી દે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Centre to roll back 3 farm law- કૃષિકાયદા શું બોલ્યા- 3 કૃષિ કાયદા પરત ખેંચાયા, ત્રણેય કાયદાઓમાં આખરે છે શું?