Publish Date: Fri, 03 Nov 2023 (16:11 IST)
Updated Date: Fri, 03 Nov 2023 (16:13 IST)
Lakshmi Ji Ki Aarti: માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ખૂબ ખાસ દિવસ દિવાળીને હવે માત્ર થોડા જ દિવસ બાકી છે, આ દરમિયાન લોકોએ તેને પ્રસન્ન કરવાની બધી તૈયારીઓ કરી લીધી છે પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઉપાયોની સાથે જો માતા લક્ષ્મીની પૂજા આરાધના વિધિથી કરાય તો ધનની દેવી પ્રસન્ન થાય છે. જ્યોતિષીઓનો કહેવુ છે કે આજના દિવસે જો પૂજાની સાથી માતાની આરતી સાચી રીતથી કરાય તો માતાનુ ઘરમાં સ્થાયી આગમન થાય છે.
દિવાળી પર આ વિધિથી કરવી માતા લક્ષ્મીની આરતી
દિવાળી પર કરેલ એક નાનકડુ ઉપાય પણ તમારી કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માણસની દરેક પરેશાનીને લઈને કેટલાક ઉપાયો વિશે જણાવ્યા છે. તેમાંથી એક ઉપાય છે માતા લક્ષ્મીની સાચી રીતે આરતી કરવી. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન કર્યા પછી એક ચાંદીની વાટકી લો તેમાં કપૂર પ્રગટાવો માતા લક્ષ્મીની આરતી આ ચાંદીની વાટકી કે દીવાથી કરવી. આવુ કરવાથી વ્યક્તિના ધનમાં વૃદ્ધિ થાય છે અને દરેક કામમાં સફળતા મળે છે.
માતા લક્ષ્મીની આરતી
ૐ જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા,
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા, ૐ જય...
બ્રહ્માણી, રુદ્રાણી, કમલા, તુ હી હે જગ માતા
સુર્ય ચંદ્રમા ધ્યાવત, નારદઋષિ ગાતા, ૐ જય...
દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપતિ દાતા
જો કોઈ તુમકુ ધ્યાવત, અષ્ટ સિદ્ધિ ધન પાતા, ૐ જય...
તુ હી હે પાતાલ બસંતી, તુંહી હે શુભ દાતા
કર્મ-પ્રભાવ-પ્રકાશિની, જગનિધિ કી ત્રાતા, ૐ જય...
જીસ ઘર થોડી બાસે, જાહિ મે ગુણ આતા,
કર ન શકે સો કર લે, જો કર નહિ પાતા ૐ જય...
તુમ બિન જર ન હોવે, વસ્ત્ર ન હોય રાતા
ખાન-પાન કા વૈભવ, તુમ બીન કુણ દાતા, ૐ જય...
શુભ ગુણ સુંદર યુક્તા, ક્ષીરનિધિ જાતા
રત્ન ચતુર્દશ તો તુમ બિન, કોઈ ભી નહી પાતા, ૐ જય...
શ્રીલક્ષ્મીજી કી આરતી, જો કોઈ ગાતા
ઉર ઉમંગ અતિ ઉપજે, પાપ ઉતર જાતા, ૐ જય...
સ્થિત ચર જગત રચાયે, શુભ કર્મન લાતા
તેરા ભક્ત મૈયાજી, શુભ દ્રષ્ટિ પાતા, ૐ જય..