Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલીયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરશે

gujarat election
, ગુરુવાર, 3 નવેમ્બર 2022 (15:50 IST)
આજે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે.ચૂંટણીની તારીખોની જાહેરાત સાથેજ આચારસંહિતા લાગુ થઇ છે. મતદારો વધુ મતદાન અને સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી અલગમતદાન મથક ઉભું કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે ભરૂચના આલિયાબેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે. અહીંના લોકોને મતદાન માટે 82 કિમિ દૂર થવું પડતું હતું. બેટ ઉપર જત લોકો વસવાટ કરે છે અને બેટ ઉપર એક પણ સરકારી મકાન ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે.

ગુજરાતના ભરૂચ નજીક આલીયાબેટ ટાપુ આવેલો છે. વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસ્તી છે.ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલીયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરશે. અલાયદા મતદાન મથકના નિર્માણનો શ્રેય ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને જાય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ટીવી 9ને જણાવ્યું હતું કે બેટ ઉપર એકપણ પાકી સ્ટ્રક્ચર નથી. અહીંના અલાયદા મતદાન મથકમાં રહેવા , શૌચાલય અને ગરમી -ઠંડીથી સલામતીની તમામ વ્યવસ્થા રહેશે. છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત શાહ ભાજપના 47 ઉમેદવારો નક્કી કરશે, કોંગ્રેસની યાદી હજી જાહેર થઈ નથી