કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' મુસીબતમાં પડતી જોવા મળી રહી છે. જાણવા મળ્યુ છે કે એક્ઝીબીટર એસોસિએશને પોતાના મેંમ્બર્સને ફિલ્મને રજુ કરવાની ના પાડી દીધી છે. એસોસિએશને પોતાના સભ્યોને અપીલ કરી છે કે ફિલ્મની રજુઆતને રોકે. હવે આ એ સભ્યો પર નિર્ભર કરે છે કે તેઓ ફિલ્મ રજુ કરશે કે નહી.
સિનેમા ઑનર એક્જીબિટર એસોસિએશનના અધ્યક્ષ નિતિન દાતરે કહ્યુ છે કે પાકિસ્તાની કલાકારોવાળી કોઈ ફિલ્મ રજુ નહી થાય. તેમનુ કહેવુ છે કે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના સિંગલ સ્ક્રીન પર ફિલ્મ રજુ નહી થાય.
ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા પછીથી જ પાકિસ્તાની કલાકારોનો વિરોધ થવો શરૂ થઈ ગયો હતો. શિવસેના અને એમએનએસે ફિલ્મને રજુ ન કરવાની ધમકી આપી હતી. અહી સુધી કે પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી પણ આપવામાં આવી હતી. જ્યારબાદ ફવાદ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 28 ઓક્ટોબરના રોજ રજુ થવા જઈ રહી છે.