Publish Date: Mon, 09 Nov 2015 (13:31 IST)
Updated Date: Mon, 09 Nov 2015 (13:47 IST)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ આજે મહાગઠબંધનના નેતાઓ નીતીશ કુમાર અને લાલૂ પ્રસાદને શુભેચ્છા પાઠવી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને ક્ષેત્રીય અસ્મિતાની રાજનીતિની જીત કહી. રાજે આશા બતાવી કે નીતીશ અને લાલૂ બિહારને વિકાસના રસ્તે લઈ જશે જેથી બિહારીઓને બીજા રાજ્યમાં પલાયન કરવાની જરૂર ન પડે.
તેમણે કહ્યુ કે આ ક્ષેત્રીય અસ્મિતા, વિકાસ અને સામાજીક ન્યાયની જીત છે.
તેમણે કહ્યુ, આ ક્ષેત્રીય અસ્મિતા, વિકાસ અને સામાજીક ન્યાયની જીત છે. મારુ માનવુ છે કે બિહારનો વિકાસ એટલો ઝડપથી થવો જોઈએ કે બિહારીઓને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ન જવુ પડે. રાજે કહ્યુ, બીજા રાજ્યોમાં કમ કરનારા બધા બિહારીઓને પોતાના રાજ્યમાં જવુ પડે. રાજે કહ્યુ બીજા રાજ્યોમાં કામ કરનારા બધા બિહારીઓને પોતાના રાજ્ય પરત ફરવાની ઈચ્છા રાખવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે મનસે ઉત્તર ભારતના પ્રવાસીઓ વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે અને તેના પર આરોપ લાગતો રહ્યો છે કે તે મહારાષ્ટ્રના સ્થાનીક નૌજવાનો હડપી લે છે. જદયૂ-રાજદ-કોંગ્રેસ ગઠબંધનને બિહારમાં મોટી જીત જ્યારે કે ભાજપાની આગેવાનીવાળા ગઠબંધનને કરારી હાર મળી છે.