Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રસોડાનું ઈંટિરિયર તમારી આવકના સાધનો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે

રસોડાનું ઈંટિરિયર તમારી આવકના સાધનો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે
, બુધવાર, 22 જૂન 2016 (14:47 IST)
ઘરના મહત્વપૂર્ણ ભાગમાંથી રસોડુ પણ એક છે. જો આ ભાગમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં રહેનારા લોકોના આરોગ્ય અને કમાણી પર તે ખરાબ પ્રભાવ નાખે છે. રસોઈ વ્યવસ્થિત, શુદ્ધ અને સાફ સુથરી હોવી જોઈએ. આવા રસોડામાં  દેવી-દેવતા પોતાનો સ્થાઈ વાસ બનાવી લે છે.  જેનાથી ઘરમાં ક્યારેય પણ ધન અને સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી. 
 
- રસોડામાં મંદિર બનાવવાથી પારિવારિક સભ્યોના સ્વભાવમાં ગુસ્સો અને અસહનશીલતા આવે છે. 
- રસોડામાં સ્ટોર બનાવવાથી જોબ અને વેપારમાં પ્રમોશન નથી થતુ. 
- જે ઘરમાં રસોડુ અને વોશરૂમ એક લાઈનમાં હોય ત્યાના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે. પુત્રીઓના જીવનમાં પણ અશાંતિ રહે છે. 
- મુખ્યદ્વારની  બિલકુલ સામે કિચન હોવુ અપશકુનનુ પ્રતિક હોય છે. 
- સ્નાન કર્યા વગર કિચનમાં જવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 
- રસોડાનું ઈંટિરિયર  વાસ્તુ મુજબ સેટ ન કર્યુ હોય તો આરોગ્ય અને કમાણીના સાધનો પર ખરાબ પ્રભાવ પડે છે. 
- દક્ષિણ પૂર્વ દિશામાં બનેલ કિચન અન્ન-ધનના ભંડાર ભરે છે. 
- સિંક(વોશબેસિન) ને રસોડાના ઉત્તરપૂર્વમાં બનાવડાવો. જળ અને અગ્નિ વચ્ચે વેર હોય છે તેથી સિંક અને ચૂલ્હાને એક લાઈનમાં ન મુકવુ જોઈએ. 
- ઈલેક્ટ્રોનિક ઉપકરણોને દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં મુકવા જોઈએ. 
- ગેસ સ્ટવ અને ઈંડક્શન ચૂલાને દક્ષિણ પૂર્વ દિશામાં મુકો. દીવાલથી ઓછામાં ઓછુ 3 ઈંચનુ અંતર હોવુ જોઈએ અને ચૂલા પર શેલ્ફ(અલમારી/કબાટ) ન હોવા જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસા જ નહી પ્રેમ પણ વધારે છે મની પ્લાંટ