Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્લ્ડકપ 2015ની ટીમમાં પસંદ નહી થયેલા ખેલાડીઓ માટે તાળીઓ વગાડવી જોઈએ

વર્લ્ડકપ 2015ની ટીમમાં પસંદ નહી થયેલા ખેલાડીઓ માટે તાળીઓ વગાડવી જોઈએ
નવી દિલ્હી , શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (12:42 IST)
વર્લ્ડકપની 30 સંભાવિતોની લિસ્ટમાં યુવરાજ સિંહ. ગૌતમ ગંભીર. વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ અને ઝહીર ખાન જેવા દિગ્ગજ ખેલાડીના નામ ન હોવાથી જાણીતા કમેંટેટર હર્ષ ભોગલેએ ટ્વીટ કર્યુ છે. 
 
તેમનુ કહેવુ છે કે ક્રિકેટ ફેંસે આ પાંચ ખેલાડીઓ માટે તાળી વગાડવી જોઈએ.  ભોગલે એ કહ્યુ. 'આવામાં જ્યારે કે યુવરાજ સિંહ. ગૌતમ ગંભીર. વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ અને ઝહીર ખાનની પસંદગી વર્લ્ડકપના શક્યત ટીમમાં નથી થઈ. ક્રિકેટ પ્રેમીઓઈ એવુ માની લેવુ જોઈએ કે હવે આ દેશ માટે બીજીવાર ક્યારેય નહી રમે અને આવી પરિસ્થિતિમાં આ ખેલાડીઓના વખાણ થવા જોઈએ. 
 
યુવરાજ અને ગંભીરે વીતેલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. યુવરાજ જ્યા પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ રહ્યા હતા. બીજી બાજુ ગંભીરે શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલમાં શાનદાર હાફ સેંચુરી મારી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati