rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી આ વાસ્તુદોષ ? હોય તો આ રીતે દૂર કરો

વાસ્તુ
, બુધવાર, 4 નવેમ્બર 2015 (11:18 IST)
ઘરમાં હંમેશા અશાંતિ બની રહે છે કે ઘરમાં બરકત નથી રહેતી ? શુ આ બધી સમસ્યાઓ તમારા ઘરના વાસ્તુદોષને કારણે તો નથી. જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ સમસ્યા છે તો ગભરાવવાની કોઈ વાત નથી. આજે અમે તમને વાસ્તુદોષના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે. જેને તમે ઘરમાં તોડફોડ કર્યા વગર જ દૂર કરી શકો છો અને વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. 
 
જો તમને લાગે છેકે તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો સૌ પહેલા આ વાતની તપાસ કરો કે તમારા ઘરમાં દરવાજા અને બારીઓ વિષમ સંખ્યામાં તો નથી. જો આવુ છે તો કોઈ એક દરવાજો કે બારીને બંધ કરી દો અને તેની સંખ્યાને સમ કરી દો. 
 
જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ મુશ્કેલી છે તો તમે તમારા ઘરના મુખ્ય ગેટ પર એક સ્વસ્તિક બનાવીને લગાવી દો. જો તેનો રંગ લાલ કે સિંદૂર રંગનો છે તો વધુ ફાયદાકારી રહે છે. 
 
આપણે ઘરનો ફાલતૂ સામાન કે જૂતા ચપ્પલ ઘરની સીઢીયો નીચે મુકી દઈએ છીએ જે વાસ્તુ મુજબ ઠીક નથી. તેથી વાસ્તુ મુજબ ક્યારેય પણ ઘરની સીડીઓની નીચે ફાલતૂ સામાન ન મુકો અને ઘરની સીડીઓના શરૂઆત કે અંતમાં કોઈ દરવાજો બનાવો. 

Share this Story:

Follow Webdunia gujarati