Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Shastra: ભૂલથી પણ રસોડાની આસપાસ ન મુકશો સાવરણી, ઘરમાં થઈ શકે છે અન્નની કમી

vastu tips
, મંગળવાર, 5 જુલાઈ 2022 (14:01 IST)
Vastu Shastra  વાસ્તુશાસ્ત્રમાં તમે અમારા જ્યોતિષ પાસેથી જાણો કે તમારા રસોડામાં સાવરણી અને પોતુ કેમ ન મુકવુ જોઈએ,  આવું કરવાથી ઘરમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે?
 
બધા માટે તેમનુ ઘર ખૂબ ખાસ હોય છે. પણ દરેક ઘરનુ એક ખાસ સ્થાન હોય છે અને તે છે આપણા ઘરનુ રસોડુ. ઘરમાં રસોડાનુ ખૂબ જ વધુ મહત્વ હોય છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડાથી દૂર મુકવો જ ઘર અને ઘરમાં રહેનારા લોકો માટે સારુ હોય છે. આમ તો આપને આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.  પણ અનેકવાર આખુ ઘર સાફ કરવુ શક્ય હોતુ નથી. પણ એકવાત તો ખાસ ધ્યાન રાખો. ભલે આખુ ઘર સ્વચ્છ ન હોય પણ સાફ- સફાઈવાળી વસ્તુઓ રસોડા રસોડાની આસ પાસ ન મુકવી જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વાતનુ પુરુ ધ્યાન રાખવુ જોઈએ કે રસોડામાં સાવરણી અને પોતુ ન મુકવુ જોઈએ. જો તમે આવુ કરો છો તો ઘરમાં અન્નની કમી થઈ શકે છે. કારણ કે સાવરણી અને પોતુ એ ગંદકી સાથે રીલેટેડ હોય છે અને રસોડામાં આ વસ્તુઓને મુકવી મતલબ ગંદકીને મુકવાની હોય છે.  રસોડામાં ખાવાનુ બને છે અને તેને ખાવામાં આવે છે. 
 
રસોડામાં સાવરણી અને પોતુ મુકવાથી ઘરમાં રહેનારા સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી  ઘરમાં અન્નની આપૂર્તિને કાયમ રાખવા માટે આ બંને વસ્તુઓને કિચનથી દૂર રાખવી જોઈએ. આવુ કરવાથી તમારુ રસોડુ સ્વચ્છ રહેશે અને સાથે જ ઘરમાં ખુશીઓ પણ કાયમ રહેશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Astro Tips- મંગળવારે મસૂરની દાળના ઉપાય અપાવશે દેવામાંથી મુક્તિ માટે અને બનાવશે પોતાનુ ઘર