Publish Date: Thu, 23 Apr 2020 (10:56 IST)
Updated Date: Thu, 23 Apr 2020 (11:00 IST)
અનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક વાતો બતાવાઈ છે જે ઘરની સુખ શાંતિને ભંગ કરે છે. આવો જાનીએ શુ છે એ વસ્તુઓ..
1. ઘરના મુખ્યદ્વાર પાસે જો પાણીનુ માટલુ મુકશો તે તે અશુભ હોય છે.
ક્યારેય પણ મુખ્યદ્વાર પાસે પાણીથી ભરેલુ પાત્ર ન મુકવુ જોઈએ. તેનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.
2. કૈલેંડરને ક્યારેય પણ દરવાજાની આગળ કે પાછળની તરફ ન લટકાવવુ જોઈએ. તેને મુખ્યદ્વારની પાછળની બાજુ પણ ન લટકાવવુ જોઈએ. આવુ કરવાથી ઘરના સભ્યોનુ આયુષ્ય ઘટે છે અને બીમારીઓ હંમેશા ઘરમાં કાયમ રહે છે.
3. ઘરના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલુ પાત્ર મુકવાથી ઘરમાં આર્થિક સંકટ વધે છે. મુખ્યદ્વાર પર મુકેલુ પાણી ભરેલુ પાત્ર ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને શોષી લે છે. જેનાથી ઘરમાં રોગ, આર્થિક સંકટ, તનાવ, ક્લેશ વગેરે ઉત્પન્ન થાય છે.
4. ક્યારેય પણ ઘરમાં તૂટેલા વાસણ ન મુકવા જોઈએ. શાસ્ત્રો મુજબ જો આવા વાસણ ઘરમાં મુકવામાં આવે તો તેનાથી મા લક્ષ્મી અપ્રસન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
5. માનવામાં આવે છે કે તિજોરીમાં કોઈ વિવાસ સાથે સંબંધિત પેપર ન મુકવા જોઈએ. તિજોરીમાં વિવાદિત પેપર મુકવાથી વિવાદ જલ્દી ખતમ થતો નથી અને દરિદ્રતા વધતી જાય છે.