Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુખ સમુદ્ધિ અને સૌભાગ્ય લાવે છે માટીના વાસણ

સુખ સમુદ્ધિ અને સૌભાગ્ય લાવે છે માટીના વાસણ
, શુક્રવાર, 12 જૂન 2020 (06:05 IST)
વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. આવો જાણીએ માટીના વાસણોના કેટલાક એવા ફાયદા જેને વાસ્તુમાં બતાવ્યા છે 
 
- વાસ્તુ મુજબ દરેક વ્યક્તિને માટી કે ભૂમિ તત્વ પાસે જ રહેવુ જોઈએ. માટીથી બનેલી વસ્તુઓ સૌભાગ્ય અને સમુદ્ધિકારક હોય છે. માટીના વાસણમાં પકવેલુ અન્ન ઈશ્વરીય તત્વ માનવામાં આવે છે.
-  દરેક ઘરમાં માટીનો ઘડો જરૂર હોવો જોઈએ. ઘડાનુ પાણી પીવાથી બુધ અને ચંદ્રમાનો પ્રભાવ શુભ થાય છે આ ઘડાને ઘરના ઉત્તર પૂર્વ દિશામાં મુકો. 
- માટીના ઘડાથી છોડને પાણી આપો. 
- જે લોકો મંગળના ક્રોધથી પ્રભાવિત છે તેઓ કોઈપણ પેય પદાર્થ માટીના વાસણમાં જ પીવુ જોઈએ 
-માટીના વાસણમાં પાણી ભરીને ઘરની અગાશી પર પક્ષીયો માટે જરૂર મુકો. 
- માટીથી બનેલી ભગવાનની મૂર્તિને ઘરમાં લાવવાથી ઘન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.. 
- રોજ તુલસીના છોડ પાસે માટીનો દિવો પ્રગટાવો. 
- માટીથી બનેલી વસ્તુઓ કે રમકડાથી તમારો ડ્રોઈંગ રૂમ સજાવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે. 
- દરેક તહેવાર પર ઘરમાં માટીના દિવા પ્રગટાવો. 
- ઘરમાં માટીના વાસણ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ  વધે છે. 
-દરિદ્રતાથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે માટીના નાના ઘડામાં પાણી ભરીને તેને પીપળાના ઝાડ નીચે મુકી આવો, આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. 
- જે દંપતિને સંતાનની ઝંખના હોય તેમણે શ્રીકૃષ્ણ સામે માટીના કોડિયામાં ચાર વાટનો દિવો કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12 જૂનનું રાશિફળ શું કહે છે