Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ અને તમારુ રસોડું

વાસ્તુ અને તમારુ રસોડું
N.D
રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. અહીં અન્નપૂર્ણામાનો વાસ થાય છે. રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, જે આ મુજબ છે -

- રસોડું બને ત્યાં સુધી અગ્નિકોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં બનાવવું જોઈએ. જો અગ્નિકોણમાં શક્ય ના હોય તો વાયવ્યકોણ( ઉત્તર-પશ્ચિમ)માં પણ બનાવી શકાય. રસોડું નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં બનાવવાથી ઓછું ફળદાયક છે. અને ઈશાનકોણ (ઉત્તર-પૂર્વ)માં બનાવવાથી ઘરમાં બરકત રહેતી નથી.

- રસોડું અગ્નિકોણમાં બનાવવાની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે હવા વાયવ્યકોણથી અગ્નિકોણ તરફ ચાલે છે. એટલા માટે જ વાસ્તુ શાસ્ત્રમાં અગ્નિ તંત્ર વગેરે માટે અગ્નિકોણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની પાછળ તર્ક એ છે કે રસોડામાં ફેલાતી દુર્ગંધ, ધુમાડો અને ગરમી બહાર ન નીકળે તો મકાનનું વાતાવરણ અશુદ્ધ બની જાય છે.જો હવા વાયવ્ય કોણથી અગ્નિકોણ તરફ વહે તો રસોડાની સારી ગંદકી,દુર્ગંધ અને ગરમી બારીની બહાર જતી રહે છે.

- પહેલા મકાન ઘણા દૂર દૂર રાખવામાં આવતા જ્યારે કે હવે તેઓ એકબીજાની નજીક સેટ કરવામાં આવે છે. એટલા માટે જ રસોડાની સુગંધ-દુર્ગંધ સહેલાઈથી એકબીજાના બેડરુમ, ડાઈનીંગ હોલ અને સ્ટડી રુમ સુધી પહોંચે છે.

- સુંદર અને વ્યવસ્થિત રસોડુ એને કહી શકાય છે જે એકદમ મોટુ કે એકદમ નાનુ ન હોય. રસોડુ 50 ફૂટનુ હોવુ જોઈએ.

- વર્તમાનમાં લોકો દરેક રૂમને આકર્ષક દેખાય તેવુ બનાવે છે. તેથી કલાત્મક રસોડું બનાવવાનું પ્રચલન છે અને એટલે જ રસોડું ચાર કોણ, ષટકોણ અને અષ્ટકોણ જેવું બને છે.

- રસોડુ ગમે તેવુ બનાવો પણ તેમા એક બારી એવી બનાવવી કે જે પૂર્વ દિશા તરફ ખુલે જેથી સૂર્યની પહેલી કિરણો રસો઼ડામાં પ્રવેશી શકે સૂર્યની કિરણો રસોડાને વિષાણુમુક્ત કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati