Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુદોષ દૂર કરે છે મીઠુ

વાસ્તુદોષ દૂર કરે છે મીઠુ
N.D
જો તમારા ઘરમાં વાસ્તુદોષ હશે તો કાયમ દરિદ્રતા રહેશે. પૈસો ક્યાથી આવે છે અને ક્યા જાય છે ખબર જ નથી પડતી. આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં હંમેશા આખુ મીઠુ જરૂર રાખી મુકો.

આખુ મીઠુ મુકવાનુ કારણ એ છે કે મીઠામાં પોઝીટીવ એનર્જીને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. સાથે જ આ નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર કરે છે. તેથી ઘરમાં કોઈપણ શુભ કામ કરવા જઈ રહ્યુ હોય તો મીઠુ નાખીને પોતુ જરૂર લગાવો.

મનમાં ગુસ્સો, ભય ચિંતા હોવાથી, બંને હાથમાં આખુ મીઠુ ભરી થોડી વાર મુકો, પછી વોશબેસિનમાં નાખી પાણીથી વહેવડાવી દો. મીઠુ ગમે ત્યાં ફેંકો. મીઠુ હાનિકારક વસ્તુઓનો નાશ કરે છે. ફંગસ પણ નથી લાગવા દેતુ.

Share this Story:

Follow Webdunia gujarati