જો તમારા ઘરમાં મંદિર અલગ જ રૂમમાં હોય તો સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો આવું ન હોય તો તેને એવા રૂમમાં રાખો જ્યાં તમે સુતા ન હોય.
મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો-
* મંદિરને ઉપરથી ગુબંદનો આકાર ન આપતાં સીધુ અને સપાટ બનાવો.
* દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો.
* મંદિરમાં કુલ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો.
* કોઈ પણ તીર્થસ્થળોએથી ખરીદેલી મૂર્તિઓને મંદિરમાં ન રાખશો. પારંપરિક મૂર્તિઓની જ પૂજા કરો.
* મૂર્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં ચાર થી પાંચ ઈંચ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ.
* નાચતાં ગણપતિ, તાંડવ કરતાં શિવ, વધ કરતાં કાળી માતા વગેરેની મૂર્તિ અને ફોટાઓ ન રાખશો.
* મહાદેવની લીંગના રૂપમાં આરાધના કરો, મૂર્તિ ન રાખશો.
* પૂજા કરતી વખતે મોઢુ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ.
* દિવો અગ્નિ ખુણામાં જ પ્રગટાવો. પાણીને ઉત્તરમાં રાખો.
* પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો.
* પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.
* ગળી વસ્તુઓનો ભોગ અવશ્ય ધરાવો.
* ખંડિત મૂર્તિઓનું વિસર્જન કરી દો. વિસર્જન પહેલાં તેમને ભોગ અવશ્ય લગાવો.